તુલસીશ્યામ રેન્જમાં સાવજોના પાણીના પોઇન્ટ ખાલીખમ્મ, કામ માત્ર કાગળ પર
ખાંભા:ગીર પૂર્વની સૌથી મોટી તુલશીશ્યામ રેન્જમાં સૌથી વધુ સાવજો અને વન્ય પ્રાણીઓનો વસવાટ છે હાલના ઉનાળાના કપરા કાળમાં વનતંત્ર દ્વારા તુલસીશ્યામ રેન્જમાં પશુઓ માટે પાણીના 35 પોઇન્ટ ભરવામાં આવતા હોવાનો દાવો કરાઇ રહ્યો છે પરંતુ સ્થળ પરની વાસ્તવીકતા કંઇક જુદી છે અહિંના પાણીના પોઇન્ટ તદન ખાલીખમ્મ નજરે પડયા હતાં ત્યારે એ પણ સવાલ ઉઠ્યો છે કે પાણીના પોઇન્ટ ભરવાના ખોટેખોટા બિલ તો ઉધારાઇ નથી જતા ને ? તેની તપાસ થવી જોઇએ
Category
🥇
Sports