સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાના અસરગ્રસ્તો માટે 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરીને રવાના કરાયા

  • 5 years ago
વડોદરાઃ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'વાયુ' વાવાઝોડાથી અસર પામનાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોના લોકો માટે આજે શહેરની મહારાણી ચિમનાબાઇ સ્કૂલમાં 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા આ સાથે બિસ્કીટ અને પાણીની બોટલો પણ મોકલવામાં આવી છે આ ફૂડ પેકેટને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વાયુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રવાના કર્યાં હતા આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂણેથી રવાના થયેલી એનડીઆરએફની ટીમો માટે બળતણની પણ સુવિધા ઉપલબ્ધ કરી રવાના કરવામાં આવી છે

Recommended