વાદળ ફાટતાં ચાર દિવસથી ફસાયેલાં 400થી વધુ પર્યટકોને સેનાએ સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા

  • 5 years ago
ઉત્તરી સિક્કિમમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાથી 427 પર્યટકોને ગુરૂવારે સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યાં અધિકારીઓએ કહ્યું કે પર્યટક ચાર દિવસથી વરસાદ અને ક્ષતિગ્રસ્ત માર્ગોને કારણે ફસાયેલાં હતા ઉત્તરી સિક્કિમના કલેકટર રાજ યાદવે કહ્યું કે તંત્રએ 427 પર્યટકોને ગંગટોક લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરી હતી
યાદવે ન્યૂઝ એજન્સીને ફોન પર જણાવ્યું કે સરકારી અને સેનાના વાહનો ઉપરાંત ખાનગી ટેક્સીઓથી ફસાયેલાં પર્યટકોને ચુંગથાંગ લવાયા હતા ત્યાંથી તમામને બસથી ગંગટોક લઈ જવાયા

Recommended