આંકલાવની ફરઝાનાએ કહ્યું, "મને વિશ્વાસ છે કે મોદી સરકાર મને ન્યાય અપાવશે"

  • 5 years ago
આંકલાવઃરાજ્યસભામાં આજે ભારે મથામણ બાદ ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું છે આ ઘટનાક્રમને પગલે આંકલાવની ફરઝાના સહિત દેશની લાખો મુસ્લિમ મહિલાઓને ન્યાય મળશે ફરઝાનાનો વાંક એટલો જ હતો કે, તે સાસરિયાની મરજી મુજબ બાળકોને જન્મ આપી શકતી નહોતી અને તેના લીધે તેના પતિએ ટપાલથી તેને નોટિસ પાઠવીને ટ્રિપલ તલાક આપી દીધા હતા આને લીધે ફરઝાનાએ ગઈકાલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જો કે, DivyaBhaskar સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં 27 વર્ષીય ફરઝાનાએ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે મોદી સરકાર મને ન્યાય અપાવશે

Recommended