નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાનો મામલો, ગુમ યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી

  • 5 years ago
અમદાવાદ:શહેરના હાથીજણ ખાતેના સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવાના મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણપ્રિયા તેમજ પ્રિયાતત્વા સામે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી છે ફરિયાદ નોંધાયા બાદ ફરિયાદી અને બાળકોના પરિવારે પોલીસને ધમકી મળી હોવાનું જણાવતા ફરિયાદી અને બાળકોના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છેતેમજ ગત રાત્રે વિદેશમાં રહેતી યુવતી અને ગુમ યુવતી સાથે પોલીસે સ્કાઈપથી વાત કરી હતી જેમાં ગુમ યુવતી અને વિદેશમાં રહેતી યુવતીએ ભરોસો આપ્યો કે, હું થોડા દિવસમાં જ અમદાવાદ આવીને નિવેદન લખાવી જઈશ હું સુરક્ષિત છું

Recommended