છાપરાભાઠા વિસ્તારમાં ગેસ લાઈનમાં લીકેજ સર્જાતા આગ ફાટી નીકળી
સુરતઃઅમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં આવેલી શ્રીનાથજી રેસિડેન્સી પાસે ગેસની લાઈનમાં લીકેજ સર્જાયું હતું આગના પગેલ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ ગેસ કંપની અને ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ગેસ કંપનીના અધિકારીઓ અને ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા ભારે જહેમતે આગ પર કાબુ મેળવાતા રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી
Category
🥇
Sports