અમારી દીકરી ઇચ્છે છે કે, નરાધમોનું કાંટા પર ચલાવી મારતા મારતા એન્કાઉન્ટર કરો: પીડિતાના માતા-પિતા

  • 5 years ago
વડોદરાઃ વડોદરાના નવલખી મેદાનમાં 14 વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની ધરપકડ કરી છે, ત્યાર પીડિતાના માતા-પિતાએ બંને આરોપીઓને તેમની દીકરીને સોંપી દેવાની માંગણી કરી છે અને નરાધમોએ તેમની દીકરી સાથે જેવુ વર્તન કર્યું, તેવી જ રીતે તેમની દીકરી કાંટા પર ચલાવીને મારતા મારતા જુલુસ કાઢવા માંગે છે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, અમદાવાદની પોલીસે અમને ખુબ જ મદદ કરી છે હું તેમનો આભાર માનુ છું મારી દીકરીની ઇચ્છા છે કે, મને જેવી રીતે મારી તેવી રીતે તેઓને મારતા મારતા તેમનું એન્કાઉન્ટર કરી દો અને મને સોંપી દો હું પણ તેમને તેવી જ રીતે મારવા માંગુ છું