ચાણસ્માની પાંજરાપોળમાં ચાઈનીઝ તુક્કલના કારણે આગ, સૂકો ઘાસચારો બળીને ખાખ
પાટણ:ચાણસ્મામાં આવેલી મહાજન પાંજરાપોળમાં ગત રાત્રે સળગતી ચાઈનીઝ તુક્કલ પડતી ભીષણ આગ લાગી હતી ચાઈનીઝ તુક્કલ ઘાસચારામાં પડતા પશુઓ માટે રાખેલો અનામત જથ્થો સળગીને ખાખ થયો હતો આગને કાબૂમાં લેવા માટે પ્રાઈવેટ પાણીના ટેન્કર તેમજ પાટણ નગરપાલિકા અને ચાણસ્મા નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો હતો આગને કાબૂમાં લેવા માટે સ્થાનિક યુવાનો પણ મદદે દોડી ગયા હતા અને ઘાસચારો આગમાં સળગતો બચાવવા માટે પ્રયાસ કર્યા હતા આગમાં પાંજરાપોળનો રાખેલો ઘાસચારાનો તમામ જથ્થો બળીને ખાખ થયો હતો કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં હતી પરંતુ ઘાસચારો તેમાં સંપૂર્ણ નાશ પામ્યો હતો