પુલવામાં આતંકી હુમલાની પહેલી વરસી , PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી

  • 5 years ago
પુલવામા આતંકી હુમલાની પહેલી વરસીએ સમગ્ર દેશ આજે શહીદ જવાનોને યાદ કરે છે આજે શ્રીનગરના પુલવામામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે આજે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે પીએમ મોદીએ લખ્યું છે કે, ગયા વર્ષે પુલવામા હુમલામાં જીવ ગુમાવનાર બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ જોકે આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે મોદી સરકાર ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સવાલ પૂછ્યા છે કે, હજી સુધી આ હુમલાની તપાસ ક્યાં પહોંચી છે? આ હુમલાથી કોને ફાયદો થયો છે?

Category

Recommended