જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ

  • 4 years ago
જૂનાગઢ: મહાશિવરાત્રીના આડે હવે બે દિવસ જ છે ત્યારે જૂનાગઢમાં ભવનાથમાં પાંચ દિવસીય શિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ છે સાધુ-સંતોના જમાવડા વચ્ચે ભાવિકો રોજ દર્શન કરવા પહોંચી રહ્યા છે બીજા દિવસે શિવરાત્રીના મેળામાં 2 લાખ ભાવિકોએ મુલાકાત લીધી હતી આજે સવારે સાધુ-સંતોની ગીરનાર યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રગીરી બાપુએ જણાવ્યું હતું કે, આજે ચારેય અખાડાના મહામંડલેશ્વરો, વરિષ્ઠ સંતો, મહંતો ગીરનાર યાત્રા પર નીકળ્યા છે ખાસ કરીને શાંતિપૂર્ણ રીતે મેળો સંપન્ન થાય તે માટે ગિરનારી મહારાજ ભગવાન દત્ત મહારાજને પ્રાર્થના કરશે

Category

🥇
Sports

Recommended