હિંમતનગર હિંસા: વણઝારાવાસમાંથી હિન્દુ પરિવારોની હિજરત

  • 2 years ago
હિંમતનગરમાં રામનવમીના દિવસે ફાટી નીકળેલી હિંસા બાત સ્થિતિ તંગ બની છે. સોમવારે બીજા દિવસે પણ હિંસા જોવા મળી હતી. જે બાદ અહીંના વણઝારા વાસમાં લગભગ 70 વર્ષથી રહેતા વણઝારા પરિવારો પર એક જુથે કરેલા પથ્થરમારા બાદ મંગળવારે સવારે એક તબક્કે 50થી વધુ પરિવારો પોતાનો માલસામાન લઈને હિજરત કરવા નીકળી પડયા હતા. જો કે પોલીસે તેમને સમજાવીને સતત બંદોબસ્ત આપવાની તથા અન્ય જવાબદારીઓ સ્વીકારવાની ખાતરી આપ્યા બાદ પરિવારોએ હિજરત કરવાનું મોકૂફ રાખ્યું હતું. આમ છતાં સાતેક પરિવારો તે પહેલા હિજરત કરી ગયાનું આધારભૂત સુત્રોમાંથી જણાવાયું છે.