મોદી મંત્રીમંડળમાંથી મુખ્તાર અબ્બાસ નકવીનું રાજીનામું
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપી દીધું છે. મુખ્તાર અબ્બાસ નકવી મોદી કેબિનેટમાં લઘુમતી બાબતોનો વિભાગ સંભાળતા હતા. નકવી રાજ્યસભાના સાંસદ સભ્ય હતા. નકવીનો કાર્યકાળ પૂરો થવાનો હતો. ભાજપે આ વખતે નકવીને રાજ્યસભામાં મોકલ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી તેમને મોટી જવાબદારી સોંપી શકે છે.