પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ બનાવવા અમદાવાદમાં અભિયાન શરુ કરાયું
અમદાવાદ શહેર અને જીલ્લામાં દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ બાળકોના આધારકાર્ડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આવેલા અંધજન મંડળ તથા કલેકટર સંદિપ સાંગલેના પ્રયત્નોથી હવેથી દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ બાળકોના આધાર કાર્ડ બનવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
Category
🗞
News