વડોદરાના વાડી વિસ્તારમાં ગટર અને રસ્તા મુદ્દે લોકોનો ઉર્ગ દેખાવ
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રસ્તાનો વિકટ પ્રશ્ન બન્યો છે. આ વિસ્તારમાંથી મહારાષ્ટ્ર ક્રિડા મંડળના ગણેશજીની સવારી નીકળીને મહાદેવ તળાવ સુધી પહોંચશે તે રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે છતાં વહીવટી તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. એટલું જ નહીં આ વિસ્તારમાં વરસાદની પાણીના નિકાલની વ્યવસ્થા પણ યોગ્ય રીતે નહીં હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે જે અંગે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી.
Category
🗞
News