કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે, 19મીએ મતગણતરી

  • 2 years ago
દિગ્ગજ નેતાઓ પાર્ટીથી નારાજ થઈને કોંગ્રેસ છોડી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગીલ, કુલદીપ બિશ્નોઈ, ગુલામનબી આઝાદ જેવા નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. ગુલામ નબી આઝાદે તો પોતાના રાજીનામાંમાં રાહુલ ગાંધીને જ વિલન તરીકે ચીતર્યા છે. એવામાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પાર્ટીના આગામી અધ્યક્ષની ચૂંટણી અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Category

🗞
News

Recommended