સુરતના ઉદ્યોગપતિ મોરબી બ્રિજ હોનારતમાં નિરાધાર બાળકોને કરશે સહાય
સુરતના ઉધોગપતિ વસંત ગજેરાએ મોરબી બ્રિજ હોનારતમાં જે બાળકો નિરાધાર થયા છે તેમના માટે જાહેરાત કરી છે. આ હોનારતમાં નિરાધર થયેલા બાળકોને સહાય કરવાની જાહેરાત કરી છે. ઉધોગપતિએ બાળકો પગભર થાય ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી લેવાની જાહેરાત કરી છે. તેમની સંસ્થા વાત્સલ્ય ધામ બાળકોની સંપૂર્ણ જવાબદારી લેશે. વસંત ગજેરાનો આ જાહેરાતનો વિડીયો વાયરલ થયો હતો.
Category
🗞
News