જાડેજાને વિધાનસભાની 10 જેટલી સીટ માટે જવાબદારી સોંપાઈ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારોની જાહેરાત થવાની શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પહેલાથી જ જાહેરાત કરી હતી જેમાં હવે મોટો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જેઓ દહેગામથી ચૂંટણી લડવાના હતા તેઓ હવે ચૂંટણી નહી લડે તેની જગ્યાએ સુહાગભાઈ પંચાલ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હું ચૂંટણી લડવાનો નથી. ગુજરાતની ચૂંટણીમાં મને પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે મુકવામા આવ્યો છે. 10 જેટલી વિધાનસભા બેઠક પર મને જવાબદારી સોંપાઈ છે.

Category

🗞
News

Recommended