વડોદરાના પાદરામાં મહિલા-બાળકો સહિત 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

  • 2 years ago
વડોદરા જિલ્લાના પાદરામાં ગોવિંદપુરામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે. સામાજીક પ્રસંગમાં જમ્યા બાદ 120થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રસાદી બાદ અનેક લોકોને ફૂડ પોઈઝનની અસર થઉઇ હતી. 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસરમાં 50 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે.

મળતી માહિતી પ્રમાણે પાદરાના ગોવિંદપુરામાં નિયાજની પ્રસાદી બાદ અનેક મુસ્લિમ બિરદારોને ફૂડ પોઈઝન થતાં દોડધામ મચી ગઇ હતી. પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા ખાનગી હોસ્પિટલમાં અસર થનારા લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. સમાજના આગેવાનો તથા રાજકીય નેતા સહિત મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

Category

🗞
News

Recommended