PM મોદી પર મલ્લિકાર્જુન ખડગેએ સાધ્યુ નિશાન, BJP આકરાપાણીએ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના નિવેદનથી હંગામો મચી ગયો છે.
ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, ખડગેએ બીજેપીના વોટ માંગવા માટે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે 'મોદી દરેક ચૂંટણીમાં દેખાય છે, શું તેમની પાસે રાવણ જેવા 100 માથા છે?' ખડગેના આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે.

Recommended