અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના અધિવેશનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના પક્ષના ઇતિહાસ વિશે જણાવ્યું. તેમણે કહ્યું, "૧૦૦ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બન્યા હતા અને ૧૫૦ વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. તે બંને કોંગ્રેસ પાર્ટીના પાયા છે. તેમણે કહ્યું હતું કે હું પછાત વર્ગો માટે કામ કરી રહ્યો છું."
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરી કરીને અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. તેમણે કહ્યું, "આપણે શોધવાનું હતું કે આ દેશમાં કોની ભાગીદારી કેટલી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમારે જાતિગત વસ્તી ગણતરી કરાવવી જોઈએ. દેશને ખબર હોવી જોઈએ કે કેટલા દલિત છે, કેટલા પછાત લોકો છે, કેટલા ગરીબ સામાન્ય વર્ગના લોકો છે."
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બાંગ્લાદેશ અને યુએસ ટેરિફ મુદ્દાઓ પર પીએમ મોદીને ઘેર્યા. તેમણે કહ્યું, "આપણા વડા પ્રધાન ગમે ત્યાં માથું ઝુકાવે છે. બાંગ્લાદેશ વિરુદ્ધ નિવેદન આપે છે અને પીએમ મોદી તેનું સમર્થન કરે છે. ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે હવે તેઓ ગળે નહીં લગાવે પણ ટેરિફ લાદશે. પીએમ મોદીની 56 ઇંચની છાતી ક્યાં ગઈ?"
અમેરિકાના ટેરિફના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પહેલાં મોદી અમેરિકા જતા અને પ્રમુખ ટ્રમ્પને ગળે મળતા. હવે તમે ટ્રમ્પને ગળે મળતો કોઇ ફોટો જોયો? ટ્રમ્પે નવા ટેરિફ લગાવી દીધા. મોદીજીએ ચૂં પણ ના કર્યું. જનતાનું ધ્યાન ત્યાં ન જાય એટલે સંસદમાં નાટક કરાવ્યું. હકીકત એ છે કે આર્થિક વાવાઝોડું આવશે. કોરોનામાં મોદીજીએ થાળી વગડાવી હતી. હવે ક્યાં સંતાઇ ગયા છે?'
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરી કરીને અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. તેમણે કહ્યું, "આપણે શોધવાનું હતું કે આ દેશમાં કોની ભાગીદારી કેટલી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમારે જાતિગત વસ્તી ગણતરી કરાવવી જોઈએ. દેશને ખબર હોવી જોઈએ કે કેટલા દલિત છે, કેટલા પછાત લોકો છે, કેટલા ગરીબ સામાન્ય વર્ગના લોકો છે."
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બાંગ્લાદેશ અને યુએસ ટેરિફ મુદ્દાઓ પર પીએમ મોદીને ઘેર્યા. તેમણે કહ્યું, "આપણા વડા પ્રધાન ગમે ત્યાં માથું ઝુકાવે છે. બાંગ્લાદેશ વિરુદ્ધ નિવેદન આપે છે અને પીએમ મોદી તેનું સમર્થન કરે છે. ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે હવે તેઓ ગળે નહીં લગાવે પણ ટેરિફ લાદશે. પીએમ મોદીની 56 ઇંચની છાતી ક્યાં ગઈ?"
અમેરિકાના ટેરિફના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પહેલાં મોદી અમેરિકા જતા અને પ્રમુખ ટ્રમ્પને ગળે મળતા. હવે તમે ટ્રમ્પને ગળે મળતો કોઇ ફોટો જોયો? ટ્રમ્પે નવા ટેરિફ લગાવી દીધા. મોદીજીએ ચૂં પણ ના કર્યું. જનતાનું ધ્યાન ત્યાં ન જાય એટલે સંસદમાં નાટક કરાવ્યું. હકીકત એ છે કે આર્થિક વાવાઝોડું આવશે. કોરોનામાં મોદીજીએ થાળી વગડાવી હતી. હવે ક્યાં સંતાઇ ગયા છે?'
Category
🗞
News