PM મોદી આજે નેપાળની મુલાકાતે

  • 2 years ago
બુદ્ધ પૂર્ણિમા દિવસ પર PM મોદી આજે નેપાળના લુંબિની ખાતે પહોંચ્યા. બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગે માયા દેવી મંદિરમાં થનારી વિશેષ પૂજા-અર્ચનામાં પ્રધાનમંત્રી ભાગ લીધો. તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા અને તેમના પત્ની પણ ઉપસ્થિત રહશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુદ્ધ પૂર્ણિમાના દિવસે એક દિવસના નેપાળ પ્રવાસે પહોંચી ગયા છે. પીએમ નેપાળના લુંબિની પહોંચ્યા છે. પીએમનો આ પ્રવાસ નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાના નિમંત્રણ પર થઇ રહ્યો છે. પીએમ મોદીના લુંબિની પ્રવાસને લઇને નેપાળ સરકારે લુંબિનીમાં ઘણી તૈયારીઓ કરી છે. બુદ્ધ જયંતિ કાર્યક્રમમાં PM મોદી સંબોધન પણ કરશે. તેમજ ભારત - નેપાળ વચ્ચે 7 MOU થશે

Recommended