ભરત બોઘરાના "આપ" પર પ્રહાર

  • 2 years ago
ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું કે, ગોપાલ ઈટાલિયા પાટીદાર મુદ્દે રાજનિતી રમે છે. પાટીદાર સમાજ ક્યારેય પણ આ વાત સાથે સહમત નથી. ઈટાલિયાની વાતથી પાટીદાર સમાજના યુવાનો, વડીલો અને આગેવાનો નારાજ છે. ઈટાલિયાએ જે શબ્દો પ્રયોગ કર્યા છે તે ગુજરાતના સંસ્કાર નથી. આ પ્રકારની હીન કક્ષાની રાજનીતિ માટે આ પ્રકારના શબ્દો પ્રયોગ કરીને સરદાર સાહેબના વંશજ એટલે પાટીદાર સમાજને ક્યારેય ના જોડે, નહીં તો પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીના વિરોધમાં રોડ પર ઉતરશે.

Recommended